કાલુધર ( કાળીમાતા ) મંદિર જહાંગીરપુરી દિલ્લી....

 


 કાલુધર ( કાલીમાતા ) મંદિર જહાંગીરપુરી દિલ્લી

હિન્દુસ્તાનની રાજધાની દિલ્હી શહેર મા વસતા દેવીપુજક વાઘરી સમાજની વસ્તી આશરે 50 થી 70 હજાર જેટલી છે. જેમાં દેશી, ચુંવાળીયા, વઢીયારા અને અન્ય વાધરી જ્ઞાતિની પેટા જાતિનાનો સમાવેશ થાયછે.
         દિલ્હી શહેરમાં મુખ્યત્વે રાજેન્દ્રનગર, પશ્ચિમપુરી , પશ્ચિમ વિહાર , અવન્તિકા,જહાંગીરપુરી અને જે જે. કોલો ની, રઘુવીરનગરમાં ઝાલાવાડ અને ગુજરાત કઠીયાવાડ (સૌરાષ્ટ્ર) ના રહેવાસી એવા દેવીપૂજકોની વસ્તી રહે છે. જહાંગીરપુરીમાં વસવાટ કરતા દેવી પુજક સમાજે દિલ્હીના સમાજ ના સહયોગ સાથે શ્રી કાલુધાર માતાજી ના ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ છે..



         આ મંદિરનુ સંચાલન દિલ્લી ના દેવીપૂજક - વાઘરી નાત પંચાયત કરે છે. આ મંદિરની મૂળ સ્થાપના ૨૫ વર્ષ પોલા કરવામાં આવેલ છે. આ મંદિરમાં સાત દેરાની સ્થાપના કરવામાં આવેલા છે. આ સાત દેવસ્થાનમાં ૧ શ્રી કાલુપુર – મહાકાળી, માતાજી (૨) દિલ્હીની દેવી (૩) મેલડી માતા (4)ખોડવાર માતા (5)શિતળા માતા (6) ચારબાય માતા (૭) રખા દાદાની અલૌકીક મૂર્તિ બનાવેલ છે, જે દર્શનિય છે. 
            


શ્રી આંબાવાળી માતાજી.... ઇન્દોર ઇતિહાસ....


          શ્રી આંબાવાળી માતાજી (ઇન્દોર ) ઇતિહાસ 

     હું દુઃખીયાની દેવી મારી -પાહે આવનાર દુઃખખીયાના દુ:ખ દૂર કરતા પાછી પડુ તો હું ઈન્દોરની દેવી આંબાવાળી અને વિક્રમની દેવી ચારબાયુ નો કહેવાય ” હું વિશ્વાસુની દેવી મારા વિશ્વાસ ઉપર કોઈ કામણ  ઠુમણ કરે કે તંત્ર, મંત્ર, વિધા કરે તેન પાણી જેમ પી જાઉ


     "મારા પાહે આવતી બેન-દિકરીના વાંજીયા મેણાં ભાંગુ નહિંતો મારા નામની હિન્દુસ્તાનમાં ચાડીયો બાંધજો મારી નાયતો ..
     
        ઉપર મુજબના વેણ જયારે આંબાવાળી માંતા ના ભુવા શ્રી પૂરણસિંહ પરમાર ઘુણી ને કાઢે છે ત્યારે હાજર રહેલ દેવીપુજક – વાઘરી સમાજના લોકો તેમજ અન્ય લોક સમાજ દર્શને આવેલ હોય તે  ભાવવીભોર બનીને આંબાવાળી માંનો જયકાર બોલાવવા લાગે છે.

         મધ્ય પ્રદેશની મહાનગરી ઈન્દોરના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલ માંઆંબાવાળી એક જાગૃત દેવસ્થાન બની ગયેલ છે. જ્યાં દર રવિવારે ભારતભરમાંથી હજારોની સંખ્યામાં દેવીપૂજક સમાજના ભાઈ – બહેનો પોતાના દુઃખની કહાની લઈને અથવા દર્શનાર્થે આવેછે     પોતાના કાર્યસિધ્ધી માટે આવનાર પાસે ભુવા શ્રી ત્રણ પ્રતિજ્ઞા (બંધણું) લેવડાવે છે. જેમાં કાર્યસિધ્ધીની અવધી સુધીમાં  (૧) દારૂ પીવો નહી (૨) જુગાર રમવા નહી (૩) કવા-કંકાસ કરવો નહિં, આટલું બંધન શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક પાલનારના કામ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે, માં આંબાવાળી અને ચા૨બાપુ માતા તેના દુ:ખ દર્દ નાબૂદ કરે છે, તેમાં ભુવાશ્રીની માન્યતા મુજબ દેવી પૂજક સમાજ ની શ્રધ્ધામાં કોઈ કમી રહેતી હોય કે ગમેતેમ પણ તેમનુ ૩૦ થી ૪૦ ટકા લોકોનું કાર્ય ફળે છે, જયારે લોક સમાજ પુર્ણ શ્રદ્ધા -વિશ્વાસ રાખતા હોય તેને ૬૦થી ૭૦ ટકા જેટતા લોકનું કામ માંતા ની દયાથી સફળ થાય છે. બંધણુ બંધાવવા આવનારના પરિવાર માં શિક્ષાનું પ્રમાણ ન દેખાય તેવાને તેમના સંતાનોને ભણાવવા માટેનું સૂચન પણ ભૂવા શ્રી કરે.

    શ્રી પૂરણ ભુવા કે જેને બધા ભાવથી માંડી'સંબોધનથી બોલાવે છે. તેઓની સાથે અમારે તા.૨૮/૬/૨૦૦૪ ના રોજ વાતચીત થયેલ તે મુજબ અત્યાર સુધીમાં લગભગ ૨૫,૦૦૦ જેટલા કાયમી મી દારૂપીનારા અને જુગાર રમનારાને આ બદી-દૂર્ગણ થી મુકત કરાવેલ છે. તેમજ આશરે ૧૦૦૦ જેટલા બહેનોના ખોલા ભરી વાંઝીયા મેણા ભાંગેલ છે. તેમના ઘેર પારણા બંધાયેલ છે, અને હાલમાં  જે લોકોનું કાર્ય સિધ્ધ થાય તેઓએ  બંધણુ છોડાવીને માતાજીના નિવેદની માનતા દેવાની હોય છે. જેમાં એક લીલુ નાળીયેર બોકડો અને તાવો વિગેરે હોય છે. જેની પ્રસાદી આવનાર લોકોને કરાવવામાં આવેછે.

       આજથી આશરે નવ વર્ષ પહેલા ઈન્દોરમાં વાઘરી સમાજમાં એક વખા-ડખા ના કારણે થી પૂરણસિંહ ભાઈ જીવાભાઈ ચોવસીયાને નાત બહાર મુકવામાં આવેલ હતા, જેના કારણે નિર્દોષ એવા એકલા પડી ગયેલા શ્રી પૂરણભુવા નોરતા પૂરા કરીને દવા પીને જીવનનો અંત આણવાનો નિર્ણય લીધેલો.
       નવરાત્રીના દિવસો હતા. ઘરમાં અજંપાભરી સ્થિતિ માં સુતેલા હતા ત્યારે અડધી રાતે દરવાજાની સાંકળો ખુલી ગઈ. પોતાની વાચા બંધ થઈ ગઈ. કોઈ શક્તિ બળે ઘરે થી બહાર નિકળીને પોતાના ઘર સામે આવેલ દત્તાત્રેય મંદિર સુધી ગયા. ત્યાં આઠ થી દસ વર્ષ ની ઉમરની બાળકી દિકરી −પ્રકાશ સાથે દેખાઈ અને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો. શુદબુદ્ધિ ખોઈ ગયેલા પુરણસિંહ ભાઈ પાછળ ચાલતા ચાલતા હાલ જયા આંબો છે, તે જગ્યા એક કુવો અને માતાજીનો ઓટો તથા આંબાનું સૂકુ થડ હતુ. ત્યાં જઈને બાળકીરૂપે પધારેલ માતાજી બેઠા અને પૂરણ ને પણ સામે બેસાડેલ માંતાએ પૂરણ નિમિત બનાવી દુનીયાના દુઃખ દૂર કરવા લોક કલ્યાણ અર્થે ત્રણ શક્તિનું વરદાન આપ્યું જેમાં સહનશક્તિ , યાદશક્તિ અને જનશક્તિ તેમ એક દિવ્ય માળા અર્પણ કરી પ્રમાણ આપવા માટે સૂકા આંબાને લીલો બનાવી પરચો આપ્યો.પાવાગઢથી મહાકાળીમાં ઈન્દોરમા આંબે આવ્યા એટલે તે આંબાવાળી માતા કહેવાયા. તેમજ છ દિવસથી રેઢા આવતા ત્રણ બોકડા આઠમને દિવસે આવ્યા, માતાજીના કહેવા પ્રમાણે તેની બલી ચડાવાઈ . જ્યાં એક નાળીયેર પણ માતાજીને ચડાવવા ભાગ્યેજ કોઈ આવતું હતું ત્યાં આજે અસંખ્ય માનતાઓ આવે છે.
          ઉપર મુજબની વાત શ્રી પૂરણ ભુવા એ સ્વમુખે કહેલ છે, 



          ઈન્દોરમાં માં આંબાવાળીના મંદિર અને મહેમાનોના ગૃહ ના નિર્માંણ માટે દેવીપૂજક સમાજ માંથી એક એક રૂપિયો એકઠો કરવાની પૂરણભુવા શ્રી ની નેમ છે. આ માટે દિલ્હી, મુંબઈ, રાજકોટ વિગર શહેરો ગામોમાં આયોજન કરવામાં આવેલ છે. જેમાથી દેવીપૂજક સમાજના સુપ્રસિધ્ધ ગાયક શોભાયાત્રા અને દેવડાયરાનું શ્રી કેશુભાઈ ભોજવીયા અને જયશ્રીબેનનો પ્રશંસનિય સહયોગ મળી રહેલ છે. મંદિર નિર્માણ માટે થયેલ આવકમાંથી આંબા ની આજુબાજુના પ્લાટો ખરીદવામાં આવેલ છે અને હાલ મંદિર નિર્માણનું કાર્ય ચાલુ કરવામાં આવેલછે. શ્રીઆંબાવાળી માતાનું ટ્રસ્ટ પણ રજીસ્ટર કરવામાં આવી રહેલ છે.
       શ્રી આંબાવાળી માતાનું ભવ્ય મંદિર અને મહેમાનગૃહ બનશે તે દેવીપૂજક સમાજ માટે ગૌરવની વાત હશે. આ મંદિર એ દેવીપૂજક સમાજ માટે ચારધામ ની યાત્રા સ્થળ સમાન બની રહેશે તેવો વિશ્વાસ છે.

       દેવીપૂજક સમાજ સિવાય લોક સમાજનો મેળાવળો દર મંગળવારે આંબાવાળી માતાના મંદિરે ભરાય છે. તે વખતે લોકોની શ્રધા અને ભકિત દર્શન જોવા લાયક હોય છે. માંઓબાવાળીના સતથી પ્રભાવીત થઈ ને કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી શ્રીમતિ સુમિત્રા મહાજન -સાંચકો -વિધાયક નિગમપાર્ષદો તેમજ સામાજીક આગેવાનો માતાજીના દરબારમાં માથા ટેકવા આવે છે. તેમ દરેક પ્રસંગો નવરાત્રી કે ભાડારો માં પોતાનુ યોગદાન આપેછે.

                   ....જય આંબાવાળી માતાજી.....


 

ભગા - અણદાની મેલડી ગામ સાયલા ઇતિહાસ.....history

 


ભગા - અણદાની મેલડી (સાયલા ગામ ) ઇતિહાસ

      ભગતના ગામ તરીકે વિખ્યાત ગામ સાયલા એ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ છે. આ ગામનું નામ લાલજી મહારાજ થઈ ગયા તેથી છે, ત્યાં ભવ્ય મંદિર છે અને અન્નક્ષેત્ર ચાલુ છે. તીર્થધામ સમાન આ ગામના મહાજનનું વર્ચસ્વ ખુબજ રહેલ હતુ. આ ગામ સાયલા, દેવીપૂજક-વાઘરી સમાજ માટે પણ યાત્રાધામ સમાન છે. કારણ કે, ભગતના ગામ તરીકે ઓળખાતા સાયલા ગામમાં માતા મેલડી જે ભગા અણદા ની મેલડી તરીકે જગ વિખ્યાત છે. વાઘરી સમાજમાં ઉઘરેજીયા શાખમાં થઈ ગયેલ ભુવા શ્રી અણદા દાદા અને ભુવા શ્રી ભગવાન ભગાદાદા અને તેની પરંપરા વધારનાર ભુવા શ્રી જલુદાદા અને હાલ ના ભુવા શ્રી મંગા ભુવા – માં મેલડી ની સેવા પૂજા કરે છે અને માતા મેલડી દુ:ખીયાના દુઃખ દુર કરે છે. માં મેલડીના મઢે કાયમને માટે માનતાઓ આવે છે અને ભારતભરમાં વસતા તમામ શાખના વાધરી ભાઈ બહેનો તો ખરા પરંતુ અઢારેય વરણ ના લોકો મેલડી માતાના દર્શન-પૂજન અને માનતા ચડાવવા માટે આવે છે. મેલડીમાં દરેકની ઈચ્છા પુરી કરે છે, તેના પ્રગટ પરચા જંગ જાહેર છે. આ ઉગતાની મેલડી જે ભગા -અણદાની મેલડી તરીકે ઓખાય છે. અને દેવીપૂજક વાઘરી સમાજ - નાતનો વિસામો છે. જાગૃત દેવી એ જાગતું પીરાણુ છે. આ જગ્યાનો ઈતિહાસ ટૂંક
માંઆ પ્રમાણે જાણવા મળેલ છે.


  સાયલાની જગ્યામાં રહેતા અને ગરીબી ની જીંદગી ગુજારતા પરિવારના ઉકાભાઈ ઉઘરેજીયા  દાંતણ કાપી વહેચીને પોતાની પત્નિ કુંઢિયાની દિકરી રાજીબેન અને પુત્ર વેલાનું ગુજરાન ચલાવી રહેતા હતા. તે ગામમાં રાજનો માનીતો ગાણાતો મોતી પારગલો રાજનો વેરો ઉઘરાવે. ઉકાદાદા પાસે રૂપિયા ભારનો બાકી નિકળતો વેરો ઉઘરાવવા મોતીડાં એ કડક ઉઘરાણી કરી, “રૂપિયા ભરી શકો તેમ નો હોય તો તારા દિકરા વેલકાને  ગીરવે મૂકી જા” એવા આકરા વેણ સાંભળીને ઉકાદાદા ઉપર આભ તૂટી પડ્યું. એકના એક દિકરા વેલકા પર આફત ઉતરતા ઉકાદાદાને ઓશિયાળુ આસુંડુ પાડીને માં મલડોને ઘા પોકાર કર્યો.  માતાએ સન્મુખ સાંભળયો , જેથી મેલડી માતાનો પ્રકોપ મોતી પારગલા ઉપર ઉતર્યો તેના પર રાજની ચોરીનો આરોપ આવ્યો અને રાજ તરફથી કેદ કરવામાં આવ્યો. મોતીડા પર અચાનક આવેલ આફતથી તે કેદખાના માં વિચાર કરવા લાગ્યો ત્યારે મેલડીમાંએ  કહ્યું –હું ઉકલા ઉઘરેજીયાની દેવી મેલડી છું, મને ઓળખી ?‘   મોતીડો માતાજીની  વાણી સાંભળીને કરગરવા લાગ્યો અને પોતાને માફ કરવા વિનતી કરવા લાગ્યો. દેવીનો અવાજ સંભળાયો કે –' સવામણ નો તાવો અને એક બોકડો  માનતાનો લઈને આવજે અને તારા મુખેજ મારે ખાવું છે, આ વાત ઉક્લાને કહેજે,અને જો કાલે સવારમાં તને છોડાવુ તો માનજે કે હું મેલડી બોલીતી" માની પ્રેરણાથી સવારમાં રાજ તરફથી મોતીડા ને છોડી મુકયો . ત્યારે માનતા લઈને મોતીડો , ઉકલા પાસે ગયો અને માતાજીના વેલની વાત કરી.પરંતુ રાજના માણસનો ભરોસો કેમ પડે, બોકડાની બલી આપતા સાયલાનું મહાજન વિફરે અને રાજનો કોપ ઉતરી પડે તો આવા બીક બોલી માં વિશ્વાસ ડગી જતા ઉકલાએ ગોળનો બોકડો બનાવીને મોતીડાના પારગલાના હાથે માતાને જમાડી. ઉક્લાએ માતાજી નો વિશ્વાસ તોડયો તેથી પોતાની દેવી માતા મુગલી ભરૂચી, રૂપે, મેલડી નારાજ થઈને આંખમીચી ગઈ અને ઉક્લાનું બાવડુ મુકી દીધું. તેનો એકનો એક દિકરો વેલકો મરણ પામ્યો. શોક અને આઘાતવશ ઉકલો પાગલ સમાન બની ગામો ગામ ભટકવા લાગ્યો.


     જયા જયા જાય ત્યાં ત્યાં વાત કરે કે "મારી કુળદેવી રૂઠેલ છે.—મારા પર ક્રોધીત છે, કોઈ નાંતિલા તેને પાછી વાળે આવી વાતો કહેતો.

         ભાલ પ્રદેશમાં આવેલ અડવાળ ગામમાં રાફુકીયા શાખના વાઘરી રહે, ત્યાં મઢે જઇને ઊક્લાએ પોતાની દુખભરી કહાની કહી , જે સાંભળીને સમજદાર એવા અમરા રાફુકીયા અને નાતિલાઓ એ ઉકાદાદાને ધીરજ બંધાવી. મઢે ભેગા મળીને માતાનો પાટ નાખી અને પોતાની દેવી અને ઉકાદાદા ની દેવી ને પુછ્યું . વૈણ બાંધી માતાને વિનવી ને કહ્યું. માં મેલડી રેવાદે માડી, ઉકલાને જીવાડી ને જગડો કર જે માડી " માતાએ જવાબ દીધો કે નાતીલાઓ, ઉક્લાએ મારી બોલી પાળી નહી , અને મને છેતરી છે, પણ તમે નાતની વિનવણી થી પાછી વળુ છું.” આમ માતાના પ્રકોપ અને ક્રોધ માંથી ઉકાદાદા મુક્ત થયા.ત્યાર બાદ અમરાદાદાએ પોતાની બેન પ્રેમાના લગ્ન ઉકાદાદા સાથે કરાવ્યા. સમય જતા ઉકાદાદાને ઘેર પારણુ બંધાયું અને તેના ઘરે દિકરા અણદાનો જન્મ થયો. ગયેલી વળતા ઉકાદાદાને માટે સુખનો સૂરજ ઉગ્યો. અને સંતોષપૂર્વક જીવન વ્યતિત થવા લાગ્યું, દાદા અણદા મોસાળમાં મોટા થવા લાગ્યા. અને યુવાન થયા. સમય
જતા ઉકાદાદાનું અવસાન થયું.
          અમરા રાફૂકીયાયાના પત્નિએ ધંધુકા પાસે આવેલ પડાણા ગામના ભીખાભાઇ કાવઠીયાયાની બેન જેઠી હતા. અમરાદાદા બીમાર પડતા મરણ પથારી એ પડ્યા .પોતાના આયખાનો અણસાર પામી જતા તેમણે પોતાના કુટુંબ-પરિવારને બોલાવ્યા અને પુછ્યું "ભઈલાઓ . મારા કોઈ મિલકતમાં કોઈપણ નો ભાગ છે ?" બધાએ કહ્યું. “ના દાદા, તમે તમારા મિલકત ના તો સુવાંગ હકદાર છો, તમે જેને જે કાંઈ આપવુ હોય તે આપી શકો છો. ત્યાર બાદ દાદાઅમરા એ પોતાની પત્નિ જેઠી ને બોલાવીને પૂછ્યું  "મારી આખરી ઈચ્છા પૂરી કરીશ“ માંજેઠીએ હા કહેતાજ અમરાદાદાએ પોતાના ભાણેજ અણદા ને બોલાવીને પોતાની પત્નિ જેઠીનો હાથ પકડી પોતાના ભાણેજ ના હાથ માં સોપી અને કહ્યું. “અણદા આને તું પત્નિ તરીકે સ્વિકાર જે અને તારો વંશવેલો વધારજે" ભગત જલારામની જેમ પત્નિનો હાથ આપી  દાદા અમરાએ પોતાની આખો મીચી દીધા.

      થોડા દિવસ અડવાળ અને થોડા દિવસ સાયલા એમ બંને જગ્યાએ દાદા અણદાએ બંને પરિવાર પ્રત્યે ફરજ બજાવી. સમય જતા મોસાળમાં બધાને ભેગા કરી દાદા અણદાએ કહ્યું  " જાજી જહના મારા મોસાળ અને મારી મોસાળી દેવીને પણ હવે રજા આપો તો અમારા ગામ જઈને વસવાટ કરીએ"  જાજા રામરામ કરીને મોસાળમાંથી માં જેઠી અને દાદાઅણદા સાયલાની જગત પર આવીને રહેવા લાગ્યા. અને માતાજીનીસેવા ભક્તિ કરવા લાગ્યા.

        જેઠીમાના માથાના વાળ ખુબ લાંબા હતા. કહેવાય છે કે માતાજીનું વાસીદુ પોતાના વાળથી જેઠીમાં વાળતા. સમય પસાર થવા લાગ્યો. એક દીવસ ના સમયે માં જેઠી અણદાદાદા પાસે આવીને ઉભા રહ્યા અને ઔશિયાળા આસુડા પાડવા લાગ્યા. જેઠીમાંની મનની વાત પારખીને હાકાપાહકા એવા મેલડી માતા નો ઓતાર દાદાઅણદા ને આવ્યો અને બોલ્યા  "જા...જા.. મારી જેઠી.. તારા ઘરે નામધારી દિકરો આપુ અને બાપ અણદા કરતાય સવાયો ભગલો આપુ. મલકમાં ભગા-અણદાની મેલડીના નામે હું ઓળખાઈશ." ધરમ ના બોલ ચોક્કસ ફળે જ . એમ સમય જતાં દાદા ભગવાનનો જન્મ માંજેઠીના પેટે થયો સાયલાની જગતમાં મેલડીમાતા દરેકને શ્રદ્ધા પ્રમાણે ફળ આપવા લાગી, જેવી દાદા અણદાની દેવીની વાહ વાહ દિશામા ફેલાવા લાગી...

       દાદા ભગવાન મોટા થવા લાગ્યા. તેની પાસે એક સંધડી ભેંસ હતી. જે ભગાદાદા ને ખુબ જ પ્રિય અને વ્હાલી હતી. આ ભેંસના દૂધ માંથી ઘી બનાવી. મેલડી માતાજી ના દીવા કરવામાં આવતા હતા. 

        એવામાં રાજના કુંવરીબાના લગ્ન લેવાયા.તે જમાનામાં લગ્ન વખતે દિકરીને દાયજામાં , હાથી. ઘોડા , ગાય, ભેંસ વિગેરે આપવાનો રિવાજ હતો. ભગાદાદા ની ભેંસ સાયલામાં ખૂબજ વખણા હતી. જેથી રાજના સિપાહી આવી ને ભગાદાદાની સંધડી ભેંસ ખીલેથી છોડીને જબરીપૂર્વક લઈ ગયા અને રાજકુંવરીને કરિયાવરમાં મોકલાવી દીધી. રાજના આ જુલ્મ સામે દાદાભગા લાચાર બનીને બેસી રહ્યા . અને હવે મારે જીવી ને શું કરવું છે તેમ કહી અન્ન જળનો ત્યાગ કરી દીધો તે બબડવા લાગ્યા. “મારી દેવી નું દિવેલીયુ હરાયું છે" દુઃખી હદયે દાદાભગા એ માં મેલડી પાસે ધા પોકાર કર્યો . ધરમનો ઓરતો આવતા માં મેલડી એ ઉદાસ રહેલ ભગાદાદા ને કહ્યું "રે મારા ભગાલા , દૂધ પીલે હું સંધડી ને લઈને આવુ છું" જે રાજ મા કરયાવર માં ભેંસ આપી હતી તે રાજ મા મેલડી લાગી ત્યાના રજવાડામાં માણસો ધુણવા લાગ્યા, રાણીઓ ધુણવા લાગી સંધડી ભેંસને દોવા જાય તો દૂધને બદલે લોહી ની શેડીયુ નિકાવા લાગી ધુણતા ધુણતા રાણી બોલવા લાગી "હું સાયલાના ભગાની દેવી ઉગતાની દેવી મેલડી છું . મારા ભગલા ને તેની સંધડી ભેંસ પાછી સોંપી દેજો." ભયભીત થયેલા રાજ ના મોણસો એ સાયલા આવી ને દાદાભગાની માફી માંગીને સંધડી ભેંસ પાછી સોંપી દીધી અને આજીજી કરી કે દાદા, હવે તમારી દેવીને પછીવાળો બાપ.. પરંતુ રાજમાંથી ગાંડીયો માર ગયો નહી . જયારે રાજ મા મેલડી માતાની પૂજા થવા લાગી ત્યાર બાદ રાજમા સુખ શાતિ થઈ.

       ભગાદાદા ના દિકરા આલાદાદા , પથાદાદા , દાનાદાદા અને છગનદાદા થયા પરંતુ ભુવા તરીકે છગનદાદાના દિકરા જલુદાદા નિમાયા. આ જલુદાદા જલુભગત તરીકે ઓળખાતાં હતા. પરંતુ મેલડીમાતાએ ભગત ને જલુ ભુવા બનાવ્યા . મેલડીમાતા ની ભકિતને કારણે જલુદાદા ના સમયમાં સાયલાની મેલડીએ અસંખ્ય લોકોના પણ દુઃખડા દૂર કર્યાં. જલુ ભુવાનો સમય પૂરો થતા. મેલડીમાં કહ્યું "-મારા સેવક જલુભાની આરસની મૂર્તિ બનાવી મારા મઢડા સામે બેસાડો " માતાજી ના કહેવા મુજબ જલુદાદાના આબેહૂબ આરસની મૂર્તિ બનાવીને માતાના મઢ સન્મુખ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. અને માતાની ભેગા તેની પણ પૂજા કરવામાં આવે છે.

      સાયલાની જગત પર જુલુદાદા બાદ તેમના નાના દિકરા મંગા ભુવાને મેલડીમાતાએ પોતાના મુંજાવર – ભુવા – સેવક તરીકે નિમેલ છે. હાલમાં મંગા ભુવા પોતાના પૂર્વજોની પરંપરા ના પગલે ચાલીને માતાની સેવા – પૂજા કરે છે. સાયલા મેલડી માતાના દરબારમાં નાતનો વિસામો સવાયો બનેલ છે. મંગાભાઈ ભુવા થયા પછી થોડા સમયમાંજ માં રૂપેણ – મોંગલી – ભરૂચી અને મેલડીમાં ના મઢે ત્રણ-ચાર વખત કુંઢાની જાતર – માનતા થયેલ છે. જેના દર્શન કરવા માટે અમે પણ ભાગ્યશાળી બનેલ છીએ.

        –બોલો ભગા- અણદા દાદાની મેલડી માતાની જય –

                        ........ જય માતાજી ........



દેવીપૂજક વાઘરી સમાજ ના દેવસ્થાનો

 


        દેવીપૂજક - વાઘરી સમાજ ના દેવસ્થાનો

       એક જમાનો એવો હતો જયારે માનવ સમાજ માં વાઘરી જ્ઞાતિનું કોઈ માન-સન્માન ન હતું. દરબારો અને સવર્ણ ગણાતા લોકો આપણી જ્ઞાતિને “વાઘરા" એમ ક્હી ને તિરસ્કૃત કરતા હતા. આવા કા૨ણોથી વાઘરી સમાજના બળણે લા સુધરેલા ગણાના અને બે પૈસા થતા સુખી થઈ ગયા. હોય અને એ લોકમાં ઘણી જગ્યાએ પોતાની જ્ઞાતિ છુપાવીને અને બીજી જ્ઞાતિના થઈને રહેતા હોવાનું પણ જાણમાં આવેલ છે. પરંતુ થોડા સમથથી સામાજીક સુધારણા-શિક્ષણ અને આપણા સમાજમાં થયેલ પ્રગતિ તેમજ આર્થિક વિકાસ વિગેરે કારણોસર આપણા સમાજની સામાજીક સ્થિતિમાં ઠીક ઠાક એવું પરિવર્તન આવ્યુ છે. એમ પણ ગુજરાત સરકારે વાઘરી સમાજની લાગણી ને ધ્યાન માં લઈને “દેવી પૂજક” એવું સન્માન જનક નામ આપ્યા બાદ જાણે થર્મ જાગૃત થયું હોય તેમ લાગ છે....

          વાધરી સમાજનો જુનો વ્યવસાય દાતણ કાપી વેચવાનો, શાકભાજી કે તરબૂચ -ટેટીના નદી માં વાડા વાવવાનો કરતા હતા. નદી કાંઠે કે ગામમાં ઓટો ગોખલો બનાવીને માતાજીનું પૂજન-નિવેદ કરતા હતા. એમ કહેવાય છે કે જુના વખતમાં માતાજી ઈંટ ઉપર ઈટ મૂકી ઓટો બનાવવા કે મઢ -મંદિર બનાવવા દેવાની રજા આપતા ન હતા. પરંતુ હવે દયા કરી હોય તેમ લાગે છે. જેથી હવે ઘણી જગ્યાએ રહેઠાંણ બનાવીને રહેવા માટે સક્ષમ બનેલ છે. તે જ રીતે દેવી માતાનામઢ મંદિરો માં સુધારણા કરીને વિશાળ મંદિરો-દેવસ્થાનો દર્શનિય બનાવીને શ્રધ્ધા પૂર્વક પૂજન કરી રહેછે.

       આવા અમુક દેવી- દાદા સંતોના જાગૃત દેવસ્થાનોની મને મળી શકેલ માહિતિ અને પરિચય થયેલ છે તેવી જગ્યાઓ વિશે લખવા નો પ્રયાસ કરેલ છે. મારી સમજ અને માન્યતા મુજબ વાઘરી સમાજમાં દરેક ને પોતાના કુળદેવીનું સ્થાનક હોય જ છે. પરંતુ અમુક મઢ મંદિરો જાણે સાર્વજનિક સ્વરૂપના છે, જેમા સેવા પૂજા કે માનતા માટે દેવીપૂજક વાઘ૨ી સમાજની કોઈપણ શાખા ના ભાઈ બહેનો ઉપરાંત લોકસમાજ પણ આવા ધર્મસ્થાનોએ માનતા- બાધા રાખી પૂજા નિવેદ ધૂપ-દિપ કરેછે, પ્રસાદ લે છે અને પોત પોતાની શ્રદ્ધા મુજબ કોઈપણ જાતના પ્રતિબંધ વગર દર્શન કરવા આવે છે. આવા દેવી પુજક વાધરી સમાજના દેવસ્થાનોમાં સવર્ણ સમાજ પણ માનતા કરી યોગ્ય ફળ પોતાની શ્રદ્ધા -ભક્તિ મુજબ પ્રાપ્ત કરે છે. આ રીતે આવા દેવસ્થાનો જે લોક સમાજમાં પણ માન્યતા ધરાવે છે અને તેમની આસ્થાના કેન્દ્રો છે જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે. આવા ધર્મસ્થાનો - દેવીપૂજક – વાઘરી સમાજના જાગૃત દેવસ્થાનોની માહીતિ મને મળી છે તે મુજબ રજુ કરવા પ્રયાસ કરેલ છે, તેમાં જો કાંઈ ભૂલ. સુક દોષ કે અધૂરી  રહી ગઈહોય તો માફ કર જો.....

( 1 ) ભગા - અણદા ની મેલડી (સાયલા )

( 2 ) આંબાવાળી માતાજી ( ઇન્દોર )

( 3 ) મહાકાળી માતાજી ( જહાંગીરપુરી દિલ્લી )

( 4 ) ઘોડાવાલા બાબા અને જોગમાતા મંદિર

      (  રઘુવીર નગર દિલ્લી )

( 5 ) સમી રાંધનપૂર... વાઢિયારા સમાજ નું રામ મંદિર અને                કૃષ્ણ મંદિર

( 6 ) સંત શ્રી કહારનાથ સમાધી મંદિર  ( પાટણ )

( 7 ) દેવીપૂજક - વાઘરી સમાજ મંદિર  ( સુરેન્દ્રનગર )

( 8 ) રત્નાપીર ( કાવેઠા )

( 9 ) મેપા ભગત ( પાણીયા )

( 10 ) સગરામ ભગત  ( લીમલી સુરેન્દ્રનગર )


              ............ જય માતાજી............